Maa card to Ayushman card: Gujarat

ગુજરાત સરકારે કાલે એક મોટી જાહેરાત કરેલી છે કે “મા – અમૃતમ્ વાત્સલ્ય”યોજનાના લાભાર્થીઓને આખા પરિવારદીઠ એક કાર્ડના બદલે હવે દરેક લાભાર્થીને વ્યક્તિગત ઓળખકાર્ડ આપાશે” આયુષ્યમાન કાર્ડ એટલે મોદી સરકારની મહત્ત્વાકાંક્ષી યોજના આયુષ્યમાન ભારતનું કાર્ડ.

આયુષ્યમાન ભારત યોજનાના બે ભાગ છે. તેમાંથી પહેલો હિસ્સો એક આરોગ્ય વીમા યોજના છે જેને આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (આયુષ્યમાન ભારત-PMJAY) કહેવાય છે. બીજી છે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર યોજના.

આ યોજનાના લાભાર્થીઓને સામાજિક અને આર્થિક સ્થિતિના આધારે નક્કી કરવામાં આવે છે. તેના માટે 2011માં થયેલી સામાજિક અને આર્થિક વસતી ગણતરીને માપદંડ નક્કી કરવામાં આવી છે.

દાખલા તરીકે, એક પરિવારમાં પાંચ વ્યક્તિ હોય તો આ પહેલાં પાંચ વ્યક્તિ વચ્ચે એક જ કાર્ડ હતું.હવે પરિવારના પાંચ લોકોને અલગ -અલગ વ્યક્તિગત કાર્ડ આપવામાં આવશે. જેથી સારવાર મેળવવામાં સરળતા રહેશે.

જેમાં 5 લાખ રૂપિયા સુધીની સારવાર મળવા પાત્ર

હાલમાં રાજ્યની સરકારી હોસ્પિટલ, સામૂહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં નવા કાર્ડ કાઢવાનું શરૂ કરી દેવામાં આવ્યુ છે.તેથી બધા લાભાર્થીઓ પોતાના નવા કાર્ડ આ હોસ્પિટલોમાંથી કઢાવી શકશે. જ્યાં સુધી નવું કાર્ડ કાઢવામાં ના આવે ત્યાં સુધી જૂના કાર્ડ પરનો લાભ પહેલાંની જેમ જ ચાલુ રહેશે.જેથી કોઇની સારવાર અટકશે નહીં. “મા” યોજનાના દરેક લાભાર્થીઓએ હવે નવું કાર્ડ તાત્કાલિક મેળવી લેવા અનુરોધ છે જેથી જરૂરિયાત પ્રમાણે પાંચ ) લાખ સુધીની સારવાર વિનામૂલ્ય મેળવી શકે તેમ તેમણે ઉમેર્યુ હતું.

કેન્દ્ર સરકારનો હંમેશાં દાવો રહ્યો છે કે આયુષ્યમાન ભારત યોજના – PMJAY એ માત્ર દેશની નહીં, પરંતુ વિશ્વની સૌથી મોટી આરોગ્ય વીમા યોજના છે.

તમને જણાવી દઉં કે આ યોજના ડિસેમ્બર 2018માં રાંચીથી આ યોજના લૉન્ચ કરવામાં આવી હતી. પરંતુ તે અગાઉ ઑગસ્ટમાં જ ટ્રાયલ દરમિયાન હરિયાણાના કરનાલમાં આ યોજના હેઠળ જન્મેલી બાળકી ‘કરિશ્મા’ને આ યોજનાની પ્રથમ લાભાર્થી ગણવામાં આવે છે.

આ PMJAY યોજના હેઠળ ગરીબ પરિવારના દરેક સભ્યનું એક આયુષ્યમાન કાર્ડ બને છે. હૉસ્પિટલમાં દાખલ થવું પડે તો આ કાર્ડની મદદથી પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર મફતમાં થાય છે. દેશની કુલ વસતીના 45 ટકા લોકોને આ યોજના હેઠળ મેડિકલ વીમા કવર મળે છે તેવું માનવામાં આવે છે. તેના હેઠળ દેશભરમાં 20,500 થી વધારે હૉસ્પિટલો અને 1008 થી વધારે બીમારીઓની સારવાર મફતમાં કરાવી શકાય છે. જેમાં બીમારીઓ રાજ્ય કે કેન્દ્ર સરકાર વધારતી કે ઘટાડતી હોય છે .

2020ની શરૂઆતના મહિનાઓમાં ભારતમાં કોરોના રોગચાળો ફેલાઈ રહ્યો હતો ત્યારે કેન્દ્ર સરકારે કોવિડ-19ના દર્દીઓની સારવાર પણ આયુષ્યમાન યોજના હેઠળ કરાવવાની જાહેરાત કરી હતી.

સરકારી હોસ્પિટલમાંથી કાર્ડ બનાવી અપાશે
તેમણે ઉમેર્યુ કે, મા/મા વાત્સલ્ય કાર્ડ નાગરિકોને હવે સરકારી હોસ્પિટલોમાંથી બનાવી આપવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા“આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના”,“મા” યોજના અને “મા વાત્સલ્ય” યોજના અંતર્ગત નિયત માપદંડો ધરાવતા પરિવારોને કુટુંબદીઠ વાર્ષિક રૂપિયા પાંચ લાખ સુધીનું આરોગ્ય કવચ વિનામૂલ્ય પૂરું પાડવામાં આવે છે.

પરિવારના દરેક સભ્યોને મા-કાર્ડ કાઢી આપવામાં આવશે.
મા\મા વાત્સલ્ય કાર્ડ ધરાવતા લાભાર્થીઓ યોજના અંતર્ગત જોડાયેલી, માન્યતા મેળવેલી કોઇપણ સરકારી/ટ્રસ્ટ સંચાલિત અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર મેળવી શકે છે. ભારત સરકારની જોગવાઈઓ મુજબ સમગ્ર રાજ્યમાં “મા – અમૃતમ્” અને “મા – અમૃતમ્ વાત્સલ્ય” યોજનાના લાભાર્થીઓને અગાઉ આખા પરિવારદીઠ એક કાર્ડ આપવામાં આવતું હતું. તેના બદલે હવે દરેક લાભાર્થીને વ્યક્તિગત ઓળખકાર્ડ આપવામાં આવશે.

જૂના કાર્ડની સિસ્ટમ પણ યથાવત રહેશે
તેમણે ઉમેર્યુ કે,હાલમાં રાજ્યની સરકારી હોસ્પિટલ, સામૂહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં નવા કાર્ડ કાઢવાનું શરૂ કરી દેવામાં આવ્યુ છે.તેથી બધા લાભાર્થીઓ નવા કાર્ડ આ હોસ્પિટલોમાંથી કઢાવી શકશે. જ્યાં સુધી નવું કાર્ડ કાઢવામાં ના આવે ત્યાં સુધી જૂના કાર્ડ પરનો લાભ પહેલાંની જેમ જ ચાલુ રહેશે. જેથી કોઇની સારવાર અટકશે નહીં. “મા” યોજનાના દરેક લાભાર્થીઓએ હવે નવું કાર્ડ તાત્કાલિક મેળવી લેવા અનુરોધ છે જેથી જરૂરિયાત પ્રમાણે પરિવારદીઠ અને વાર્ષિક રૂપિયા પાંચ લાખ સુધીની સારવાર વિનામૂલ્ય મેળવી શકે તેમ નીતિન પટેલે ઉમેર્યુ હતું.

રાજ્યના આરોગ્ય વિભાગે ગઈકાલે મા કાર્ડની મુદ્દત આગામી 31મી જુલાઈ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે હવે સરકારી હોસ્પિટલોમાં નવા મા કાર્ડ બનાવવા માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જેથી બધા લાભાર્થીઓ આ યોજનાનો લાભ મળી શકે.

whatsapp
loan on whatsapp online
  • प्रधानमंत्री जन आरोग्य योजना के अंतर्गत 10 करोड़ से अधिक परिवारों को लाभ मिलेगा|
  • अपने मोबाइल नम्बर से लॉगिन कर पता करें आपका परिवार प्रधानमंत्री जन आरोग्य योजना में सम्मिलित है या नहीं|
  • प्रधानमंत्री जन आरोग्य योजना का लाभ लेने के लिए आपको कोई आवेदन करने की ज़रूरत नहीं है|
  • अगर आपका परिवार प्रधानमंत्री जन आरोग्य योजना लिस्ट में सम्मिलित है तो आप चिकित्सा उपचार के लिए किसी भी सूचिबद्ध अस्पताल में प्रति वर्ष 5 लाख रुपये तक का लाभ उठा सकते हैं|

Leave a Comment